નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના નેતા સંદીપ દીક્ષિતે (Sandeep Dikshit)  પોલીસ અને સેનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દીક્ષિતે કહ્યું કે જે સંસ્થાઓ જેટલી ભ્રષ્ટ હોય, તેટલું જ તેઓ રાષ્ટ્રવાદની વાતો કરતી હોય છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સેના (Army) અને પોલીસ (Police) જ્યારે નારા લગાવે ત્યારે સમજી લો કે કાળી કરતૂતો છૂપાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશની અડધા કરતા વધુ પોલીસ ભ્રષ્ટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારા 498 લોકોની સંપત્તિ થશે જપ્ત!


ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં કલમ 144 લાગુ કરવા પર  તેમણે કહ્યું કે દરેક જગ્યાએ કલમ 144 લાગુ છે, યુવા વર્ગ ક્યાં વિરોધ કરશે. જબરદસ્તીથી એક સામાજિક આંદોલનને રાજકીય આંદોલન બનાવી દેવાયું. સીએએ  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન પર તેમણે કહ્યું કે 1973-74માં જ્યારે ગુજરાતમાં બસો બળી તો તે જનહિતમાં હતી? પહેલા તમારા કામનો તો હિસાબ આપો!


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....